QUOTES ON #રાધાકૃષ્ણ

#રાધાકૃષ્ણ quotes

Trending | Latest
3 JUN 2021 AT 21:11

મનગમતો નવરંગી એ ચાંદલિયો,
સતરંગી તારાની ટોળકી લઈ
ભમી રહ્યો..

આવ જરાં કહું આ યમુનાને કાંઠે,
તારા વિના વમળિયો સલિલ
જાગી રહ્યો..

વાંસળીનાં સૂરે ઓલાં પનઘટે,
જાણે ગોપીઓ સંગ મદમસ્ત
ઝૂમી રહ્યો..

નિહારે કાંઠે બેસી રાધા વાળીને,
પ્રતિબિંબમાં કાનો હળવે એને
સ્પર્શી રહ્યો..

નયન ખુલતાં જ શમણું તૂટ્યું,
માધવ તો મથુરામાં રાધા વિના
ઝૂળી રહ્યો..

-


10 JUN 2022 AT 15:25

”શ્રી કૃષ્ણને પત્ર”
(આભાર વ્યક્ત કરતો...)

-


6 APR 2021 AT 22:28

કોઈ કહેજો આજે કાન્હા ને,
રાધા ના હ્રદયે આજે વ્યથા અપાર છે..!
પ્રયાસ કરે છે રોકવાની પણ,
અવિરત વહેતી આંખેથી અશ્રુઓની ધાર છે..!

કારણ તો તું જાણે આ વિરહનું,
રાધા ને તો હવે કાયમ વેદનાનો સથવાર છે..!
તારું વદન અને વાંસળી બહુ યાદ આવે,
અસહ્ય ખૂંચતી તારા વિચારોની તલવાર ધારદાર છે..!

કેમ કરીને વિસરવું આ સગપણ,
રાધા માટે તો તું ચાલતા શ્વાસ નો આધાર છે..!
ક્યારેક ક્યારેક મળી લેજે શમણે,
તારા અસ્તિત્વનો આભાસ માત્ર રાધાના પળેપળનો હાશકાર છે..!!

-


28 MAY 2019 AT 17:22

કેમ કરી કહું ઠાકોર રહેવાતું નથી હવે,
તારાં વિરહ નું દર્દ સેહવાતું નથી હવે,

આંખો મારી નિશદિન તવ દર્શન યાચે,
આરસી માં નિજરૂપ ઝીરવાતું નથી હવે,

નહીં સમજે શું તું ગિરિધર વેદના મારી!
ખોલી અધર તો કંઈ કહેવાતું નથી હવે,

બંસરી ના સુર સારાય વિસરાઈ ગયા છે,
કૃષ્ણ ના સુર સિવાય સંભળાતું નથી હવે,

બાંધ્યો ઝુલો કદંબડાલ પર ઝુલ્યા કરું હું,
તારા થી તો મારાં સાથે ઝુલાતું નથી હવે,

રાધા ની પ્રીત તું શું જાણે ઓ દ્વારકાધીશ!
તુજથી તો ગોકુળીયે 'ઈશ' અવાતું નથી હવે..

-


30 JUN 2021 AT 0:25

મુરલી સંગ
ખોવાઈ,ભાન ભૂલે
વ્રજ કુંવરી

સૂરમાં ગૂમ
થૈ, શરમાઈ ઉઠે
ભોળી ગ્વાલિન

મીઠાં મધુર
પ્રેમરસ માં ડૂબે
એ રસેશ્વરી

એકરસ થૈ
જાવે રાધાકૃષ્ણ
પ્રિય મિલન

-


16 MAR 2021 AT 11:18

અમર ગાથા...
કાન્હા સંગ રાધા ને,
મૌન આ વાચા!!

-


6 NOV 2020 AT 8:07

ઓ..રાધા મને તારી ઈર્ષા થાય,
કે કૃષ્ણ તને ઉરમાં ધરે......

-


15 MAR 2021 AT 22:59

રાધા ને શ્યામ!!
એક જ છે આ નામ
ત્રિલોક સાક્ષ...

-



આનંદ જ્યાં એ નાનું શુ ઝૂંપલડું ય કૃષ્ણ ને રાધા એ તો અખંડ પ્રગટતો પ્રેમ...
કૃષ્ણને સદ્ભાગ્યે મેળવી પણ લૈ તો એમનાં પ્રાણેશ્વરીને સમજતાં ગફલત કેમ?— % &

-


16 MAY 2021 AT 21:40

રાધાનો પ્રેમ લાવ્યો કૃષ્ણને પૃથ્વી પર તાણી,
દર્શનમાત્રથી ધન્ય થયા પવિત્ર યમુનાના પાણી...

સંગાથ હતો ક્ષણભર બેવનો,
વિરહ બાદ એમના સાચા પ્રેમની કિંમત જગે જાણી...

કૃષ્ણએ સમજાવ્યું માત્ર પામવું જ એ પ્રેમ નથી,
એથી જ તો અમર બની રાધાકૃષ્ણની પ્રેમ કહાની...

કૃષ્ણની વાંસળી સંભળાવે ગીત રાધા મિલનના,
એટલે જ કદાચ વિરહ બાદ કૃષ્ણએ ક્યારેય વાંસળી નથી વગાડી...

-