ના કર માનવ તું નાહક ચિંતા ,
ચિંતા રહે હંમેશા ચિતા સમાન .
સઘળું મેળવ્યા પછી પણ શાને ,
કરે ચિંતા માં વ્યર્થ જીવન તમામ .
રખે ચિંતા કર્યે શું મળે તુજને ,
શાને અણધાર્યા રોગો ને તું નોતરે .
સુખમય જીવન વ્યથિત કર મોજ માં ,
શાને ખોટી ઉપાધિઓ ને તું શોધે રે .
ચિંતા કરીશ સઘળું લાગે દાવ પર ,
નિજ ખોળીયાં નું હિત તલવાર ની ધાર પર .
શાને કરે બરબાદ તું આ જીંદગી અમુલી ,
ચિંતા માં વીતે જીવન એ વાત નથી મામૂલી .
-