આજે ટહુક્યા મોર વાડીએ ઘણાં,
પણ મારા મોરલાનો ટહુકો આથમી ગયો,
ભલે હવે સુરજ ઊગે કે ના ઊગે,
મારો સુરજ કાયમને માટે આથમી ગયો,
~"હાર્દ"-
તમે માત્ર "દાદ" ગુમાવ્યો,
ગીર ને એનો "સિંહ" ગુમાવ્યો.
હિરણે એનું "લાડ" ગુમાવ્યું,
લોકસાહિત્ય એ એનો "સાદ" ગુમાવ્યો.
સૌરાષ્ટ્રના પાળિયાએ એનો "શ્વાસ" ગુમાવ્યો,
દિકરીએ એની વેદનાને વાચા આપનાર "બાપ" ગુમાવ્યો.
ગામડાએ એનો "ખાસ" ગુમાવ્યો,
ગુજરાતી ભાષાએ એનો "તાજ" ગુમાવ્યો.
તમે માત્ર "દાદ" ગુમાવ્યો,
અમે કવિઓ નો "સાર" ગુમાવ્યો....!
કવિ દાદુદાન ગઢવી ( કવિ દાદ ) ના
દિવ્ય આત્માને આઇ માં ભગવતી
મોક્ષ અર્પે 🙏🙏🙏💐💐💐-
ખલીલ ધનતેજવી સાહેબને શત શત નમન
ૐ શાંતિઃ
ઝેરનો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો.
હું કોઈ નું દિલ નથી, દર્પણ નથી, સપનું નથી,
તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.
કંઈક વખત એવું બન્યું કે છેક અંતિમ શ્વાસ પર,
મોત ને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.
માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,
તે મને વીંધી છે, મારી આંખ તું ચૂકી ગયો.
એમ કંઈ સ્વપ્નમાં જોયેલો ખજાનો નીકળે?
ભાઈને હું શું કહું, એ મારું ઘર ખોદી ગયો.
જેને માટે મેં ખલીલ, આખી ગઝલ માંડી હતી,
એ જ આખી વાત ફહેવાનું તો હું ભૂલી ગયો.
– ખલીલ ધનતેજવી-
"દી"..! રમત રમતાં રમી ગયાં
છેતરી સૌને ચાલ્યાં ગયાં
પ્રિય થી અધિક પ્રિયેશ્રી મારા
એવાં "રમીલા દી"ચાલ્યાં ગયાં
કાલ તો હાજરાજૂર હતાં
આજ થાપ દઈ ચાલ્યાં ગયાં
ખોટ મોભની કોણ પુરશે "દી"
અમને એકલાં મૂકીને ચાલ્યાં ગયાં
ભુલાયના જીવનભર કદીય એવાં
યાદના સંભારણા દઈ ચાલ્યાં ગયાં
માન્યામાં નથી આવતું હજીય એ
તમે પરમાત્મા ધામ ચાલ્યાં ગયાં
નહતું જાણ્યું જાનકીએ કાલે શું થવાનું છે
કાલે અમારી સાથ હતાં ને આજ તમે ચાલ્યાં ગયાં
શાંતિ દેજો એ આત્માને પ્રભુ
"દી" મોક્ષના માર્ગે ચાલ્યાં ગયાં....!!!
પ્રભુ એમનાં આત્મા ને શાંતિ આપજો" 🙏
કોટી કોટી વંદન દીદી🙏🙏🙏
🙏 શ્રધ્ધાંજલી🙏
-Bindu✍️
*******
-
સૌથી ઉંચી વિશાળ જેમની પ્રતિભા ,
સૌથી ઉંચી વિશાળ જેમની પ્રતિમા.
સૌથી વધારે અસરદાર,
સૌથી ઉંચા અમારા સરદાર.
હતી જેનામાં પ્રચંડ પ્રબળ તાકાત,
કર્યુ લોહપુરુષે એક - અખંડ ભારત.
ખપ તો આજે પણ છે તમારો સરદાર,
પણ,આજે કયાં છે એવું કોઈ અસરદાર.
અનુસરો એમના અડીખમ સિધ્ધાંતો ને કાજને,
લઈ આવો પાછાં એજ સરદાર નાં રાજને.
આજે આકાશે આંબેલું સ્વપ્ન ઉન્નત,
થયું દરેક ગુજરાતી નું મસ્તક ઉન્નત.
હતો આપણો સંકલ્પ અડગ ને દમદાર,
રચી દીધો વિશ્વ સમક્ષ ઈતિહાસ શાનદાર.
સાચી 'એકતાંજલિ' એજ
એમને સાચી 'સ્મરણાંજલિ' ....💐
-
સાત પગલાં આકાશમાં.. નાં સર્જક કુંદનિકા કાપડીયાનું નિધન...
આ સાહિત્ય જગતનો સિતારો અસ્ત પામ્યા બાદ પણ ઝળહળતો રહેશે
ઈશ્વર એમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના
🙏🏻🌹 ૐ શાંતિ : શાંતિ : શાંતિ :🌹🙏🏻
-
શ્રધ્ધાંજલી
*******
ફરીથી ફિલ્મી જગતનો બીજો એક સિતારો ખરી પડ્યો છે..
પીઢ અભિનેતા ઋષિ કપુર નો નશ્વરદેહ પંચભૂત માં વિલીન થયો..
પ્રભુ એમના દિવ્ય આત્મા ને શાંતિ અર્પે....🙏🙏🙏-
હું અેમનું કર્જ કેમ કરી ઉતારીશ???
જેમણે પોતાના લોહીથી અમારી હિફાજત કરી છે,
અય ઈશ્વર તને પણ રહેમ ના આવી ???
તે આ પુલવામા કેવી કારમી કયામત કરી છે!
મારા દેશ ના વીર શહિદો ને ભાવપૂર્વક શ્રધ્ધાંજલી સહ કોટી કોટી નમન🙏🙏🙏🙏🙏🙏-
ભલે થયાં બ્રહ્મલીન આપના ઈતિહાસમાં અમર નામ દાદ'બાપૂ
તમે પિર્સ્યા એવા નહિ કોઈ પિરસે અમર ઇતિહાસ ના જ્ઞાન,
કાળઝા કેરો એ કટકો સાહિત્ય જગત નો આજ ગાંઠ થી છુટી ગ્યો
મમતા રુંવે જેમ વેળુમાં, વીરડો ફુટી ગ્યો..
કાળજા કેરો કટકો આજ ગાંઠ થી છૂટી ગ્યો..!!
સાહિત્ય રત્ન દાદબાપૂ ને ભાવભરી શાબ્દીક શ્રધ્ધાંજલિ.🙇♀️-