મુસાફરી એ પોતાનામાં જ એક અનોખી ફિલસૂફી છે. તેમાંય વળી એકલાં મુસાફરી કરવી એટલે ફિલસૂફીનો બમણો લાભ મેળવવો. આમ તો એકલતા આપણને કઠે. પરંતુ જ્યારે વાત મુસાફરીની આવે ત્યારે એકલતા સારી લાગે. એકલાં હોઈએ તો કશી ચિંતા નહીં. સાથે બહોળો સર-સામાન પણ નહીં. આપણાં ખપ પૂરતી વસ્તુઓની જ જરૂર પડે. બીજાં કોઈની ચિંતા નહીં. બીજાને શું જોઈશે, શું ગમશે, પૂરતું થઈ પડશે કે નહીં, કશું જ વિચારવાનું નહીં. બસ, આપણને જ્યારે જે મળે તેનાથી ચલાવી લેવાનું. મસ્ત મૌલા પોતાની મસ્તીમાં મસ્ત ! એકલ જીવડો ... કોઈ અલગારી જીવ !!
-