મનમંદિરમાં ઈશ્વરને બેસાડી નિત્ય દર્શન કરતાં રહ્યો.
અન્ય દ્વારા થતી નિંદા સાંભળવાનો સમય જ નહીં આવે.
કેમ કે, દરેક ધર્મના કેન્દ્રમાં ઈશ્વરે આપેલા સભ્યતાના ગુણ વિકસાવવાનો સંદેશ રહેલો છે. તમને આપોઆપ એ સંદેશ સંભળાતો રહેશે અને તમે એને અનુસરતા રહેશો.
એ તમને સમાધિમાં લઈ જશે અને આધ્યાત્મિક આનંદનો અનુભવ પણ કરાવશે.-
આઘતો ના ખીલ્લા ઓ ઠોકી ઠોકી ને મને લટકાવી દીધી છે ક્રોસ પર,
ને પાછી હસી ને જીંદગી કહે મને જા ઈશ્વર ની ખોજ કર...-
બાળપણની અમુક માન્યતાઓ ધ્વસ્ત શું થઈ,
કે હું "ખુદ" માં જ "ઈશ્વર" શોધવા સજ્જ થઈ !!-
ઈશ્વર તારાથી આ શક્ય છે?
હું નથી કહેતો કે સવાલો બધા સુલજવા જોઈએ,
પ્રશ્ન એક તો ઉકેલી આપ.....
ન આશ માછલીને ઘૂઘવતા સાગરની,
નાનું એક ખાબોચિયું તો આપ.....
ઈચ્છે કદી કિસાન વરસે વરસાદ ધોધમાર?
બળે ન પાક તેનો એટલું તો વરસ.....
માગ્યા કદી ગરીબોએ છપ્પન ભોગ તારી પાસે?
ટંક એક ભરાય પેટ, એટલું ભોજન તો આપ.....
પાંચ તારક હોટલમાં સ્વીમીંગ પુલ કોની મરજીથી?
તરસ્યા લોકને પીવાનું ચોખ્ખું પાણી તો આપ.....
આ કેવો ધર્મ ન અડકાય માણસોને,
આભડછેટ નાબુદ કરે તેવો માણસ તો આપ.....
ક્યાં સુધી સહન કર્યા કરે અત્યાચાર સ્ત્રીઓ,
ફરી એક મહિષાશુર મર્દની તો આપ.....
કેમ લડે લોકો ધર્મ, સંપ્રદાય,જાતને નામે?
તેઓ છે ભારતીય તેવી સમજણ તો આપ.....-
આજ એક નવું સોપાન છે..
જીંદગી એ આપેલો એક નવો જ ખ્યાલ છે..
365 દિવસમાં એક નવા પન્નાનો ઉઘાડ છે...
નવી નવી ઘટના બનશે જેનો આવકાર છે...
ડગ માંડી દીધુ છે હવે મને કયા ઈનકાર છે...
જે થશે જોયુ જશે..
મારો તો બસ આ જ વિચાર છે...
જે પણ થવાનુ છે મને તો બધો સ્વીકાર છે...
આ ઘટના પણ ઈશ્વર એ આપેલો અંજામ છે...
બસ જે થશે એ જોવાનો જ ઈંતઝાર છે...
વંદના પરમાર
Insta/fb page: jayviruquotes-
આંખોને પારખી શકું એટલી પરખ દેજે તું,
કોઈના મૌનને સમજી શકું એવી સમજણ દેજે તું..!
છલકાતાં અશ્રુ ને સ્પર્શી શકું એટલી સંવેદના દેજે તું,
લાગણીઓને વ્યક્ત કરી શકું એવી વાચા દેજે તું..!
સચ્ચાઈ ને સામે જ કહી શકું એટલી હિંમત દેજે તું,
ના ગમતાનો ઈનકાર કરી શકું એવી ખુમારી દેજે તું..!
પોતાના દુર્ગુણો દૂર કરી શકું એટલી બુદ્ધિ દેજે તું,
સર્વે ના સદગુણો જોઈ શકું એવી દ્ષ્ટિ દેજે તું..!
રોજ ખુદને મળી શકું એટલી ફુરસદ દેજે તું,
હે ઈશ્વર!તારો આભાર વ્યક્ત કરી શકું એવી ક્ષણો દેજે તું..!
-
કહી દે ક્યાં મળીશ તું મને,આજ આખરી અરજ છે,
તારી કસ્તુરી ની ભાગતી હરણી જેમ મને તરસ છે,
એક દર્શન તારાં મને વધુ તારાં ભણી તાણી જાય છે,
આ જ તારો પ્રેમ મારાં માંટે અનન્ય જાણે સ્પર્શ છે,
અનરાધાર વહેતી લાગણીઓ ને કહો કેમ કાબુ કરું,
આ આંખો જ આંધળી છે છતાં પામે તારા દર્શ છે,
હૃદય ઝરૂખે વાટ જોતી તારી બસ હું જીવિત છું,
આખરે તો મુજમાં રહેલો 'ઈશ' તારો જ અંશ છે..-
સમજ્યો'તો જેને ઈશ્વર પથ્થર નીકળ્યો,
આ પ્રેમનો પણ આખર શું સાર નીકળ્યો!
ઝખ્મો તો દિલનાં પળવારમાં વાવી દીધાં,
પણ જિંદગી ની જમીને જ ખાર નીકળ્યો,
હૂંફની ઈચ્છા રાખી'તી તુજ હૃદયે મેં તો,
પ્રવેશી જ્યાં અંદર ત્યાં તો ઠાર નીકળ્યો,
અંધ જગતમાં નીકળી ખોળવા પ્રકાશ હું,
જોયું દીપ તળે જ ઘેરો અંધકાર નીકળ્યો,
ગૂંથવા બેઠી સંબંધોનાં તાંતણા અહીંયા,
જાણ્યું હરએક સંબંધ તાર-તાર નીકળ્યો,
તારી સૃષ્ટિમાં બસ 'ઈશ' એ જ જોયું માત્ર,
આત્મા મૂકી મેળે ને શરીરનો હકદાર નીકળ્યો..-
મનમાં લાખો સવાલ છે,
જેનો તું માત્ર જવાબ છે,
વણમાંગ્યું તો ઘણું મળ્યું,
માંગ્યા નો જ મલાલ છે,
રોજ સોદા કરે દર્દ સાથ,
લાગણીઓ જ દલાલ છે,
તમારે ત્યાં તો અનરાધાર,
અહીં તો કાયમી દુકાળ છે,
જ્યોત બળે ને આંધી આવે,
હૃદયે એટલે જ અંધકાર છે,
મૂર્તિ મહી પ્રાણ પુરી રચી તે,
તો પછી તું કેમ નિરાકાર છે!
હવે તું સાંભળ કે ન સાંભળ,
મારો 'ઈશ'આખરી પોકાર છે..-