કોઈ કહેજો આજે કાન્હા ને,
રાધા ના હ્રદયે આજે વ્યથા અપાર છે..!
પ્રયાસ કરે છે રોકવાની પણ,
અવિરત વહેતી આંખેથી અશ્રુઓની ધાર છે..!
કારણ તો તું જાણે આ વિરહનું,
રાધા ને તો હવે કાયમ વેદનાનો સથવાર છે..!
તારું વદન અને વાંસળી બહુ યાદ આવે,
અસહ્ય ખૂંચતી તારા વિચારોની તલવાર ધારદાર છે..!
કેમ કરીને વિસરવું આ સગપણ,
રાધા માટે તો તું ચાલતા શ્વાસ નો આધાર છે..!
ક્યારેક ક્યારેક મળી લેજે શમણે,
તારા અસ્તિત્વનો આભાસ માત્ર રાધાના પળેપળનો હાશકાર છે..!!
-