26 JUL 2019 AT 15:21

તમે તો સદાય વ્હાલ વાંવો,
આપોઆપ ઉગે ઇર્ષા તો શું કરવું,

સમજણની માટીનું ઘર બનાવો,
ગેરસમજની થાય વર્ષા તો શું કરવું,

અહિંસા ના સિધ્ધાંત સાચવો હૃદયમાં,
લોક થાય લોહી તરસ્યાં તો શું કરવું,

મગજ તો કાયમ જીવન ને ઉજવે,
મન ગાય મરશિયા તો શું કરવું,

પરિસ્થિતિ એ કૈક ઉજાડ્યા સદભાવના વનને,
એ પાછા આવી ત્યાં જ વસ્યા તો શું કરવું,....

- વોરા આનંદબાબુ"અશાંત"