પાંગરે ઇમારત પ્રેમની ચાર પાયા પર,ત્યાગ,પ્રેમ,સમર્પણ,વિશ્વાસ...
તો બંધન તૂટે ના પ્રેમ નું,ભલે ને ખૂટે શ્વાસ.....
થઈ જાય જીવનસાથી જીવન સમસ્યાથી હતાશ કે નિરાશ,
હાથ પકડી કેજો એને,હું સદૈવ છું આસપાસ....
પ્રભાત પરોઢે જેમ પરોવ્યાતા શ્વાસ માં શ્વાસ,
એમ જીવન સંધ્યા એ પણ બનજો જીવન ની આશ....
છોડવું પડે તો છોડી દેજો એના માટે ઐશ્વર્ય નું આકાશ,
તો સાથ આપી એ પણ સફળ બનાવશે તમારો સહવાસ....
ભીતરમાં જો રહે ભવોભવ સાથે રેહવાની ભીનાશ,
તો કોઈ દી નૉ થાય તમારા સુખી દામ્પત્યનો વિનાશ....
ખોટી ઈચ્છાઓ,અપેક્ષાઓ છોડી કરશો એકમેકના હૃદયમાં વાસ,
તો રચાશે ઈશ્વરના દરબારમા તમારો અનોખો ઇતિહાસ....
વોરા આનંદબાબુ... લખ્યા તારીખ..16/11/2010 ..મંગળવાર..6:29 સાંજે....
- વોરા આનંદબાબુ"અશાંત"
11 JAN 2019 AT 15:26