મતલબી દુનિયામાં લાગણીના વાવેતર હવે ક્યાં થાય છે ?
મતલબ માટે જ બધા સંબંધો બંધાય છે
આ જીવન રહે તેવા બંધને કોણ જોડાય છે ?
હેત અને પ્રેમ બે પળ માટે દર્શાવાય છે .
સુખ આવે ત્યારે કોઈને યાદ ક્યાં કરાય છે ?
દુ:ખ ઉભું થાય તો પછી મંદિરે જાય છે .
ગરજ પડ્યે તમારી વાહ વાહ લહેરાય છે .
ગરજ મધ્યે તરત જ તમને તરછોડાય છે .
દર્દ વ્યક્ત કરી તો સૌ મુખે હસી ઉભરાય છે ,
આનંદ કિલ્લોલ કરી તો ઈર્ષા વહેરાય છે .
નાની ભૂલ થઈ તો તેને ટીકાથી વગોવાય છે ,
આ કળિયુગમાં જીવવું મોટી કઠણાય છે .
મોહ - માયાની દુનિયામાં મુજથી ના રહેવાય છે ,
ખેદ ભાવના જાગે ત્યારે શ્રી રામ બોલાય છે
સૌ કહે કે જગ છોડો પણ ખુદથી ના છોડાય છે ,
પણ વગર કહ્યું હર કોઈના દિલ તોડાય છે .
#૨૨૩/૩૬૫-
14 AUG 2021 AT 8:46