માનો કે' માં બાપ ,ભાઈ બેન બધુ જ આપણી દુનિયા છે તો બહારની દુનિયામાં ફાંફાં મારવાનો શું મતલબ!! તૈયાર ઘર છે, સાંભળનાર સભ્યો છે તો પછી પારકાને પોતાના કરવાની આટલી મથામણ શા માટે!! પારકાં તો કદી છૂટી ય જશે!! પણ છેક સુધી સંભાળનાર તો પોતાના જ હશે ને..! દિલથી માની લેશુ કદાચ પોતાનું, પણ દિમાગ થીતો કદાચ નય જ માનીએ!! જેટલું પોતાને મળશે ઘરના લોકો તરફથી છેક સુધી એટલું પારકાંને પોતાનું સમજી આપી શકીશું? કદી નહીં...કેમકે, નવું નવ દી' અને જો તમે માંગ કરશો તો તમને ,ઘડીકમાં પારકાં કરી દેશે, વીસ પચ્ચીસ વરસની પોતાની મે'નત પર પાણી ફેરવતા વાર નહીં લાગે!!!
ક્રૃષ્ણ એકલાં જ હતાં ને, તો પછી એકલા થઈ ગયા પહેલાં માણસને આટલો બધો ડર કેમ? કદાચ એને લોકો ગમતાં હશે, પરિવાર ગમતો હશે,સમાજ ગમતો હશે, એટલે કોઈ પણ વાત સ્વીકારવી જ એના માટે યોગ્ય રહેશે, એવું એ માને છે. પછી ભલે એજ લોકો દ્વારા રોજે કોઈ ને કોઈ વાતે એનું શોષણ થતું રહે, પણ પ્રતિશોધ એના મૂળમાં નથી, એ માને છે કે મૌનથી માણસને જીતી શકાય...