તારું પાછું આવવું મારા હાથમાં જ છે,
પણ હું શ્વાસ ત્યજીને ઠગ નહીં કરું!
-
આવીને જયાં કુદરત પણ બની જાય અપ્રતિમ કલાકાર,
બતાવું હું આપણાં દેશની સંસ્કૃતિનો અનોખો ધબકાર.
વેદો,પુરાણો ને ઉપનિષદ સંગ સજે સિંધુ-ખીણનો પવિત્ર કિનારો
મૌર્ય,મધ્ય ને સલ્તનત યુગો સાથે અદ્ભુત શિલ્પકળાનો મિનારો.
સત્યમ્,શિવમ્,સુંદરમ્ નો છે જ્યાં અહર્નિશ રણકાર,
બતાવું હું આપણા દેશની સંસ્કૃતિનો અનોખો ધબકાર.
અહિંસા,પ્રેમ અને સંયમ છતાં,શૌર્ય-વીરતાની ગાથા લખાણી,
ઉત્સવપ્રિય પ્રજામાં ઝળકે ખંત,શ્રદ્ધા, અને એકતાની વાણી.
સહસ્ત્ર સંગીત-નૃત્યનો 'અવિનાશ' અનન્ય અદાકાર,
બતાવું હું આપણા દેશની સંસ્કૃતિનો અનોખો ધબકાર.
શ્વાસે શ્વાસે ગુંજે જેની ધરામાં ,અમુલ્ય ગુણોનો ઝણકાર,
બતાવું હું આપણાં દેશની સંસ્કૃતિનો અનોખો ધબકાર.-
એ પહેલી વારનું મિલન ગુલાબની કળી હતી,
ખુદા જણે કેટલી વેદનાઓ એમાં ભળી હતી.
એણે સોગતમાં પ્રેમ પરોવીને મુરલી બનાવેલી,
પછી આખરે કહ્યું કે ખાલી વાંસની સળી હતી.
આજ કાલની દુનિયાને કઈ વાત પુછું સાહેબ,
હૃદય ખોવાયું, ત્યાં જ એક આત્મા મળી હતી.
હતો ને એ હિમનો પહાડ અને વાદળ જેવો,
તો કેમ ભીતર સુધી વિરહ-પીડા બળી હતી?
મેં જીવન આખું ઘવાયેલ અવસ્થામાં વિતાવેલ,
એની માટે એક દુર્ઘટના 'અવિનાશ' ટળી હતી.-
રાત આખી
આંસુઓથી
ભીંજાયેલ
રૂમાલ
એણે સવારે
બેપરવાહ
આંગણામાં
સુકવી દીધો!
કદાચ
એટલી જ
સહજ રીતે
સંભવ હશે
લાગણીઓનું
'પતન'...-
હું પ્રહારો સુધી
નિહાળ્યા કરું છું
વૃક્ષની કઠોર ડાળીઓ
સાથે સજ્જ
કોમળ પુષ્પો!
જે ઝઝૂમતા રહે છે
બળતાં બપોરે
પવનનાં એક ઝોકાંના
વિરહમાં
અને
હું વિચારું છું
"એનો કાર્યકાળ!"
સવાર થી સાંજ સુધી..-
પહાડોની દુર્ગમતા
અને
ઝરણાંઓના સુક્ષ્મ
આલિંગન વચ્ચે,
પ્રેમીઓની પ્રથમ
મુલાકાતના વચનો
પડઘા બનીને અથડાતાં હશે,
કદાચ
એવી રીતે
પરત આવતો જ હશે
પ્રેમ!
પંખી સ્વરુપે...-
હું દરિયા કિનારે લખવા બેસું
તો, શક્ય છે કે
લહેરો શાંત થઈ જાય!
હું નથી જાણતી
શબ્દોથી કે એકલતાથી?
પણ પ્રબુદ્ધ દરિયો,
છતાં
સહજતાથી પ્રયાગનું સન્માન
આજીવન કરશે જ..
જાણે કે,
શ્વાસ સમાન દરિયો અને,
સમયનું એક વહેણ!
-
-અભિસાર
તેઓ નિરંતર એક વાતની રજુઆત કરતા કે,
તારા કેશ
મોહક છળકર્તા છે.
જો હું એની ગૂંથણી કરુ તો,
એનો ભેદ અહર્નિશ ઉકેલતો રહી જઈશ!
જો હું એને બાંધવાની
નાદાન ગુસ્તાખી કરુ તો,
મારું અસ્તિત્વ પણ તારામાં બંધાઈ જશે,
અને
જો હું એને હવામાં લહેરાવું તો,
આ અભિસાર;
શહેરની આકર્ષક સાંજ સ્વરુપે ઢળી જાય!
ને આપણી અનંત મુલાકાત અધુરી રહી જાય...-
-સમય
હું એના પ્રત્યાગમનની
રાહ નિહારુંને,
એ અજાણ્યા આગંતુકની
જેમ આવીને
નમ્ર સ્મૃતિપત્ર છોડીને જાય,
એની એક ક્ષણ
હ્રદય દ્રારા જીરવવી એ
નસીબ માનું કે જીવન!?
-અવિનાશ-