જ્યારે તમે કોઈ વ્યક્તિની અપરિપકવતાને તેનું ભોળપણ કે નિખાલસતા કહી દ્યો છો, તેની બેફિકરાઇ કે બેજવાબદાર વલણને બિનઅનુભવીમાં ખપાવી દ્યો છો અને અલ્લડ કે ઉધ્ધત વર્તનને નાદાની સમજી લો છો, ત્યારે જાણેઅજાણે તેનું જ નુક્સાન કરી રહ્યા છો.
વ્યક્તિને છાવરવામાં ક્યાંક તેને પરિસ્થિતિની સાચી છબી ન બતાવીને ભૂલ કરી રહ્યા છો. પરંતુ, એ જરૂરી પણ હોય છે કેમ કે એવી વ્યક્તિ ભલે વહેલી કે મોડી જ્યાં સુધી જાતઅનુભવે નહીં સમજે ત્યાં સુધી તેની ઉપર કોઈજ સમજણ નહીં, કામ કરે.
#Kunjkalrav
-