Komal Darji  
74 Followers · 229 Following

Joined 25 May 2021


Joined 25 May 2021
28 AUG 2024 AT 21:51

સ્થિતિનું અવલોકન ન થાય ત્યારે પરિસ્થિતિ પેદા થાય ..


#peace
#traveling
#feel
#thought

-


14 MAY 2024 AT 11:51

સમય પડ્યે સઘળું છોડીને , સિંહ સમી જે ત્રાડ પાડી લે,
હોય સવારે એવો સાંજે એ માણસને તું વાંચી લે ..

આ વાદળ પણ ભર ઉનાળે નમી ગયું લે ,
વરસવું કે તરસવું એની વેદના પણ હવે વાંચી લે..

હું લખવા બેસું ને તરત આ કલમ થરથરે લે !
ઉઘાડા શબ્દમાં પણ વાત છાની હવે વાંચી લે...

-


26 APR 2024 AT 18:59

દરેક પળ આપણા મનમાં
એક એક પડ જમાવતી જાય છે...


#chintan@24×7_by_k.unadkat

-


25 APR 2024 AT 12:03

સમય બધું બદલાવે છે,,,
ને
સમય જ બધું બતાવે છે...

-


10 JAN 2024 AT 18:52

ક્યારેક સપનાઓમાં જેટલું સુખ મળે એટલું હકીકતમાંથી નથી મળતું હોતું ,
ક્યારેક અફવાઓ સમાચાર કરતાં વધુ આનંદદાયક હોય છે..!

-


9 JAN 2024 AT 14:48

મહાત્મા ગાંધીજી - જેઓ સત્ય અને અહિંસા માટે જીવ્યા હતા અને એના માટે જ મૃત્યુ પામ્યા હતા !

ગાંધીજીની હત્યાને બહાને જ્યાં જુઓ ત્યાં રોષ હતો , આક્રોશ હતો અને અંધાધૂંધી હતી..સહુથી વધુ કમકમાટીભર્યા હુમલાઓ સાંગલી, કોલ્હાપુર, અને મીરજ જેવાં શહેરોમાં બનવા પામ્યા..એક જગ્યાએ એક પુરા પરિવારને મારી નાખવામાં આવ્યો.એક વૃદ્ધ , એનો યુવાન પુત્ર અને નાનો પૌત્ર અને ઘરની તમામ સ્ત્રીઓ ; આ બધાને રહેંસી નાખવામાં આવ્યાં. એમનો વાંક શો હતો ? માત્ર એટલો જ કે એ પરિવારની અટક ગોડસે હતી.એમનો નથુરામ ગોડસે સાથે અટકના સામ્યને બાદ કરતાં બીજો કશો યે,નાહવા-નિચોવાનો પણ સંબંધ ન હતો.

જોવાની ખૂબી એ છે કે આ નિર્દોષ માણસોને લોહીના તળાવમાં સુવાડી દેનારું ટોળું પોતાને ગાંધીભક્ત અને ગાંધીજીના અનુયાયીઓ તરીકે ઓળખાવતું હતું...!

-


5 JAN 2024 AT 21:46

જીવનમાં એકબીજા સાથે ભળીને હળવા થવાના સંબંધો હશે ત્યાં સુધી વાંધો નથી પણ જો એકબીજાનું બધું જાણી લઈને દીવાસળી મૂકી મજા લેવાની આદત પડી જશે તો જીવનના ધુમાડા થશે...

-


13 NOV 2023 AT 11:42

આપણા સૌના જીવનમાં નડતરરૂપ પડતર પ્રશ્નોનું ચણતર થાય અને પારિવારિક જ્યોત ઉજવાતી રહે તેવી આ પડતર દિવસની હાર્દિક શુભકામનાઓ..💝🎁🎊

-


30 JUN 2023 AT 12:42

માત્ર એના આવવાની એક અટકળ ઉપર,
મનડું ભીંજાયું કૈંક વાદળીઓની ફરફર વગર...

-


21 MAY 2023 AT 21:35

વા છે વાદળા છે ને વાવડે ય છે વરસાદ જેવું કંઈ નહીં
માલ છે માણા છે ને મકાન છે માણવા જેવું કંઈ નહીં

વાઘા છે વાજિંત્રોનું વાદન ને વિવાદો છે અવસર જેવું કંઈ નહીં
સપના છે ને સાજણનો શણગારેય છે , સંગાથ જેવું કંઈ નહીં..

-


Fetching Komal Darji Quotes