નશો જો કૃષ્ણ નો કરો,
તો અર્જુન બનાય છે,
પણ નશો જો તૃષ્ણા નો કરો,
તો દુર્યોધન થવાય છે. (૧)
નશો જો કૃષ્ણ નો કરો,
તો દ્રૌપદી બનાય છે,
પણ નશો જો વાસના નો કરો,
તો દુઃશાસન થવાય છે. (૨)
નશો જો કૃષ્ણ નો કરો,
તો મીરાંબાઈ બનાય છે,
પણ નશો જો રાજપાટ નો કરો,
તો ધૃતરાષ્ટ્ર બનાય છે.(૩)
નશો જો કૃષ્ણ નો કરો,
તો નરસિંહ બનાય છે,
પણ નશો તો અહં નો કરો,
તો કંસ થવાય છે. (૪)
નશો જો કૃષ્ણ નો કરો,
તો સુદામા બનાય છે,
પણ નશો જો કપટ નો કરો,
તો શકુની થવાય છે. (૫)
નશો જો કૃષ્ણ નો કરો,
તો પૃથ્વી નામક આ ભવસાગર માં તરી જવાય છે,
પણ નશો જો મોહ નો કરો,
તો મૃત્યુલોકની આ અગ્નિમાં ભવેભવ માટે
ભસ્મ થઇ જવાય છે.(૬)
-