શ્રધ્ધા નો અતિરેક અંધશ્રદ્ધા બની જાય છે,
ઈશ પર ખ્વાહિશ નો ઢોળ અંધશ્રદ્ધા કહેવાય છે..
અંધ ભક્તિમાં જેવાંતેવાં પણ મોટા સંત બની જાય છે,
એ રાજપાટ માં આળૉટે ને ભક્ત લૂંટાઈ જાય છે..
મંદિરો સુવર્ણથી ને મક્બરા સંગેમરમરે સજાવાય છે,
ને રોટી,કપડાં, ઇલાજ ની અછતેં લાખો મરી જાય છે..
અહિં સારા સારા કામો માં શુકન અપશુકન દેખાય છે,
ને ખોટા કામો ને દગ઼ાબાજી કોઇપણ ઘડીએ થાય છે..
મંદિરે જો નાગ નીકળે તો દૂધની રેલમછેલ થઈ જાય છે,
ને ઘર કે ફળીયા માં ડોકાય તો લાકડીએ કૂટાય છે..
પથ્થરો ને મક્બરામાં પણ આસ્થા જોવા મળી જાય છે,
જ્યારે જીવતાં પ્રાણીઓ ની બલી-કુરબાની લેવાય છે..
'જીત' કહે નારી અહિં શક્તિ રૂપે પૂજાય છે, તોય,
વંશવેલા ની ઘેલછા માં ઠેર ઠેર ભૃણ હત્યા થાય છે..
-